શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

હિન્દુ ધર્મને ભાંડનારા અકબરૂદ્દીન ઔવેસીના રખોપા કરશે ‘રામ’



આંધ્રપ્રદેશના એમએએમના ધારાસભ્ય  અકબરૂદ્દીને એકવાર ધાર્મિક ઝેર ઓક્યા પછી ગણી સંતાકુકડી રમી લીધી પરંતુ આખરે પોલીસ સમક્ષ સમપર્ણ કરવું પડ્યું. ઔવેસી વિરૂદ્ધ પોલીસે ભડકાઉ ભાષણ આપવા ઉપરાંત હવે દેશદ્રોહનો આરોપ પણ લગાવ્યો છે. દેશમાંથી ઔવેશીનો ઘણો વિરોધ થયો. વિરોધ એટલા માટે નહીં કે તેણે હિન્દુ વિરૂદ્ધ ઝેર ઓક્યું છે, પરંતુ એટલા માટે પણ ખરો કે દેશમાં બે ધાર્મિક કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવા માટે. કોર્ટે પણ આ બાબતની ગંભીરતા જોઈને ઔવેસીની જામીન અરજી ફગાવી દીધી છે. ત્યારે ઔવેશીને બચાવવા માટે બે રામ મેદાને પડ્યા છે.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બે વરિષ્ઠ વકીલ ડીવી સીતીરામ મૂર્તિ અને રામચંદ્ર રાવ અકબરૂદ્દીન તરફથી કેસ લડશે.
આ અંગે જજે સરસ કોમેન્ટ કરી છે.તમે (ઔવેસી) રામને પણ નથી બક્ષ્યા અને આજ બે-બે રામ તમને બચાવવા આવ્યા છે.
જસ્ટિસ રેડ્ડીએ આગળ જણાવ્યું કે તમે જે દેશને પડકાર્યો છે એજ દેશે તમારા ભાઈ,પિલલતા અને તમને સાંસદ બનાવ્યા છે.


મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

નવા વર્ષના નવા સંકલ્પો

નવા વર્ષના હાર્દિક અભિનંદન.....
આ સાથે નવા વર્ષના કેટલાક સંકલ્પો જે તમે લેવા વિચાર્યુ હશે કે નહી તેની ખબર નથી પણ આ વાંચ્યા પછી ચોક્કસ વિચારશો એવી ખાતરી છે.

1. નવા વર્ષમાં હું કોઈને મારાથી અજાણતા પણ દુખ ન પહોંચે તેની ખાસ કાળજી રાખીશ.
2. મારા વ્યસનોમાંથી એક તો હું ગમે તે કરીને છોડીશ.
3 મારા દેશને નીચાજોણું થાય તેવું કોઈ કાર્ય કરીશ નહીં કે આવા કાર્યમાં સહકાર પણ આપીશ નહીં.


બસ આ વર્ષે આટલા સંકલ્પો સિદ્ધ થાય તો પણ નવું વર્ષ આનંદમય રહેશે....બાકી સપરમે દહાડે લીધેલા સંકલ્પો તો ત્રણ દિવસ માંડ ચાલતા હોય છે. આ સંકલ્પોમાં આવું ન થાય એવો એક સંકલ્પ ખાસ લઈએ....